૭૦% નું જંગી મતદાન થયુ તેથી કોંગ્રેસની ૧પ૦ સીટ નિશ્ચિતઃ મનીષાબા
ભાજપ સરકારની ગુલબાંગોથી ત્રસ્ત જનતા હવે કોંગ્રેસની સરકાર ઇચ્છે છે. : શહેર ઉપપ્રમુખનો દાવો
રાજકોટ તા. ૧૧ : શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષાબા વાળાની યાદી જણાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરસકાર આવે છે.અને ૧પ૦ સીટ સાથે જીતી જાશે કેમ કે આ સમયે મતદારો કોંગ્રસને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો છે.
રાજકોટનું મતદાન ૭૦ ટકા થયેલ છે તે સુચવે છે કે કોંગ્રેસની તરફેણમાં મતદાન થયું છે.મનીષાબા વધુમાં આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ખોટા વચનો આપે છે. પ્રજાને મુર્ખ બનાવે છે વિકાસના નામે તેને છેતરવાનું કામ કરે છે. નેતાઓ ખોટી ગુલબાંગો ફુંકે છે પ્રજાને ખોટા સપનો દેખાડે છે નર્મદાનાના પાણીના નામે આ બુલેટ ટ્રેનના ખોટા વચનો આપે છ.ે હવે પ્રજા આ ભાજપ સરકારને જાણી ગઇ છે.
હવે કોંગ્રેસની સરકાર આવશે જે ગરીબો માટે સતત જાગૃત સરકારનું નિર્મણ થાશે જે આપાદેશના સર્વે શ્રેષ્ઠ વિચારધારાની સરકારની સ્થાપના થાશે આ તકે મનીષાબા વાળાએ મતદારોનો આભાર માન્યો છે.