રાજકોટ
News of Friday, 11th November 2022

કેએસપીસી દ્વારા વાર્તાલાપ

 કચ્‍છ સૌરાષ્‍ટ્ર પ્રોડકટીવીટી કાઉન્‍સીલ દ્વારા ‘લેન ઇમ્‍પેરેટીવ્‍સઃ લેશન ફોર ઇન્‍ડિયન ઓર્ગેનાઇઝેશન્‍સ' વિષય પર પ્રોડકટીવીટી એક્ષપર્ટ અને પર્ફેકટ કન્‍સલ્‍ટીંગના ફાઉન્‍ડર જયેન કોટેચાનો વાર્તાલાપ કાઉન્‍સલના બાન હોલ ખાતે યોજવામાં આવ્‍યો હતો. પ્રારંભે કાઉન્‍સીલના પ્રમુખ હસુભાઇ દવે અને માનદ મંત્રી ડી. જી. પંચમીયાએ વકતાનું પુષ્‍પગુચ્‍છ અને મોમેન્‍ટો અર્પણ કરી સ્‍વાગત કર્યા બાદ ટી.પી.સી. ચેરમેન દિપકભાઇ સચદેએ વકતાનો પરિચય રજુ કરી સમગ્ર સંચાલન સંભાળ્‍યુ હતુ. જેમાં જયેન કોટેચાએ લીનનું મહત્‍વ, જરૂરીયાત અને ફાયદા વર્ણવ્‍યા હતા. ઉત્‍પાદકતા અને ગુણવત્તા વધારવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ. કાર્યક્રમની વ્‍યવસ્‍થા ડી. જી. પંચમીયા અને ભરત રાબાએ કરી હતી.

(4:12 pm IST)