પુત્રવધુને ત્રાસ આપી કરીયાવર ઓળવી જવાના કેસમાં સાસરીયાનો નિર્દોષ-છૂટકારો
રાજકોટ,તા. ૧૧ : પત્નીએ તેમના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ અત્યાચાર, શારીરીક-માનસીક ત્રાસ તથા કરીયાવર ઓળવી જવાના તેમજ દહેજ માંગણીના ગુન્હામાં તમામ આરોપી સાસરીયાઓનો નિર્દોષ છૂટકારો ફરમાવેલ છે.
આ કેસની હકીકત જોઇએ તો ૨૦૧૭માં આ કેસના ફરીયાદી પુજાબેન ચંદ્રવદનભાઇ મહેતાએ આરોપી પતિ યોગેશભાઇ રમેશભાઇ બોરીસાગર, નણંદ હિનાબેન રમેશભાઇ પટેલ, નણંદોયા રમેશભાઇ જશુભાઇ પટેલ તથા સાસરીયાઓ પર શારીરીક-માનસીક ત્રાસ ગુજારતા હોય તથા ગાળો આપી મારકૂટ કરતા હોય તેમજ દહેજની માંગણી કરતા હોય અનેસ્ત્રીધનનો તમામ માલ-સામાન પચાવી પાડી અને ઘરેથી ઢીકાપાટુનો મારમારી પહેરેલ કપડે કાઢી મુકેલ હોવાની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ હતી.
ત્યારબાદ આ ગુન્હાના તમામ આરોપીઓને પોલીસે અટક કરેલ અને ગુન્હાની તપાસ કરી અને કોર્ટમાં આરોપી સાસરીયાઓ વિરૂધ્ધનું ચાર્જશીટ દાખલ કરેલ ત્યારબાદ આ કેસ નામદાર અદાલતમાં ચાલવા ઉપર આવેલ અને આ કેસમાં આરોપી સાસરીયાઓના વકીલ શ્રી મોહિત વિ.ઠાકરની દલીલો તથા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ અને અદાલતે તમામ આરોપી સાસરીયાઓને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં તમામ આરોપી સાસરીયાઓ વતી વકીલ શ્રી મોહિત વિ.ઠાકર રોકાયેલ હતા.