સર્વેશ્વર ચોકમાં શિવઆરાધનાઃ આજે રાત્રે બાળકો નૃત્ય પિરસશે
રાજકોટઃ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવની મહાઆરતી ખોડલધામ પ્રણેતા અને ટ્રસ્ટી શ્રી નરેશભાઈ પટેલ, સરગમ કલબના પ્રમુખશ્રીગુણવંતભાઈ ડેલાવાળા, શ્રી બકુલભાઈ સોરઠીયા, શ્રી ભરતભાઈ બોદર, શ્રી જયેન્દ્રસિંહ જાડેજા (બબુભા) દ્વારા કરવામાં આવી હતી.
શિવ આરાધના કાર્યક્રમ આર.ડી. ગ્રુપના પરેશ પોપટ તથા ઝીલ એન્ટપ્રાઈઝના તેજસ શીશાંગીયાના માધ્યમથી કરવામાં આવેલ હતો. જેમાં કલાકારો દીપકભાઈ જોષી, અમીબેન ગોસાઈ, હેમંતભાઈ જોષી, તેજસ શીશાંગીયાએ પોતાના મધુર કંઠે શિવની આરાધના કરેલ હતી તથા ડાન્સ ગ્રુપ દ્વારા સરસ નૃત્યો કરેલ હતા. આજે બુધવારે રાત્રે ૮-૩૦ કલાકે ૧૫ વર્ષથી નીચેના બાળકોની ડાન્સ કોમ્પીટીશન રાખેલ છે. આયોજનને સફળ બનાવવા માટે કેતનભાઈ સાપરીયા, અનીલ તન્ના, હિતેષ મહેતા, ઉપેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ જાની, શ્રી દિપકભાઈ સાપરીયા,પરેશ ડોડિયા, ચેતનસિંહ ખવડ, હરીશ અંજાર, રાજુ પટેલ (અન્ના), આશીષ હિંડોચા, કેતન ભટ્ટ, યજ્ઞદિપસિંહ જાડેજા, કલ્પેશ દસાડોયા, પિયુષ દસાડીયા, રીપલ માધવાણી, પ્રતિક વ્યાસ, વિજય ગોહેલ સહિતના ૭૫ થી વધારે કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.