રાજકોટ
News of Wednesday, 11th September 2019

શાપરમાં ટ્રાન્સફોર્મર પર કામ કરતી વખતે વીજ કરંટ લાગતા પીજીવીસીએલના રજનીકાંતભાઇનું મોત

રાજકોટ,તા.૧૧: શાપર વેરાવળમાં આવેલ સીધ્ધેશ્વર સબડીવીઝનના ટ્રાન્સમીશન પર કામ કરતી વખતે વીજ કરંટ લાગતા પીજીવીસીએલના હેલ્પરનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ.

મળતી વિગત મુજબ ગોંડલના ડૈયાગામમાં રહેતા અને શાપર વેરાવળમાં પીજીવીસીએલમાં હેલ્પર તરીકે નોકરી કરતા રજનીકાંતભાઇ લક્ષ્મણભાઇ શીયાણ(આહીર) (ઉવ.૩૪) ગઇ કાલે શાપરમાં સીધ્ધેશ્વર સબડીવીઝનમાં આવેલા થાંભલા પર ટ્રાન્સફોર્મર પર કામ કરતા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગતા તેને સારવાર માટે રાજકોટની સ્ટલીંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે યુનવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ અજયસિંહએ પ્રાથમિક કાગળો કરી શાપર વેરાવળ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(3:41 pm IST)