News of Wednesday, 11th September 2019
આવતા મહિને રાજકોટથી મુંબઇ માટે દરરોજ ૩ ફલાઇટ મળશે : બે નવી ફલાઇટ શરૂ થશે
એર ઇન્ડિયા સાથે સ્પાઇસ જેટ પણ વિમાન ઉડાવશે : બે નવી ફલાઇટના શેડયુલ હવે..
રાજકોટ, તા. ૧૧ : રાજકોટના હવાઇ યાત્રિકો માટે એક ખુશીના સમાચાર છે. આવતા મહિનાથી રાજકોટ-મુંબઇ વચ્ચે દરરોજ ત્રણ ફલાઇટ મળશે, હાલ એર ઇન્ડિયાની એક ફલાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ મળે છે, પરંતુ ૧પ ઓકટોબરથી એર ઇન્ડિયા વધુ એક નવી ફલાઇટ શરૂ કરશે, તો સ્પાઇસ જેટ પણ ર૭ ઓકટોબરથી રાજકોટ-મુંઇ વચ્ચે વિમાન ઉડાવશે. બંને નવી ફલાઇટના શેડયુલ હવે જાહેર થશે.
એર ઇન્ડિયા ૧પ ઓકટોબરથી જે નવી ફલાઇટ શરૂ કરશે, તે સવારની રહેશે, આવી જ રીતે હવે દિલ્હીની ફલાઇટ પણ ભવિષ્યમાં વધી રહી છે.
ત્રણ દિવસ પહેલા સ્પાઇસ જેટના અધિકારીઓએ રાજકોટ આવી મીટીંગ કરી હતી અને હવે કંપની ર૭ ઓકટોબરથી રાજકોટ-મુંબઇ વચ્ચે ફલાઇટ શરૂ કરશે.
(10:24 am IST)