News of Tuesday, 11th August 2020
પુસ્તક અવલોકન ધન્વી માહી
ઓશોના વિચારો અને વાણીને પ્રસરાવતુ સુવાકયોનું સંકલિત પુસ્તક 'ઓશો વાણી'
શિર્ષક : ઓશો વાણી
સંકલન - સંપાદક : રસિકભાઇ ભગવાનજીભાઇ કોટક, મો.૯૪૨૭૨ ૦૭૦૮૧
કિંમત : શ્રધ્ધા-ભકિત
પ્રાપ્તિ સ્થાન : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ
સંપર્ક : સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬
સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦
ઓશોના પ્રવચનો સાંભળીને તેમના વિચારો અને વાણીમાં પ્રસરતા સુવાકયોનું સંકલન કરવાનો આ પૂસ્તકમાં સરસ પ્રયાસ કરાયો છે. જે લોકો ઓશોને વાંચતા ન હોય અને સાંભળતા પણ ન હોય તેઓ આ સુવાકયોના માધ્યમથી ઓશોને ઓળખી શકે છે. કુલ ૮૨ પાનાના આ પુસ્તકમાં ૬૦૮ સોનેરી સુવાકયોને સ્થાન આપવા પ્રયાસ થયો છે. ટુંકમાં સુવાકયોના માધ્યમથી ધ્યાનમાં સરી જવાય તેવી અનુભુતિ કરાવવામાં આવી છે.
(3:17 pm IST)