રૈયા નજીક સવન ફ્લેટના ખાડામાં ડૂબી જતા ત્રણ બાળકોના કરૂણમોત :દલિત પરિવારમાં કલ્પાંત
ઢાઢણી ગામના બે બાળકો મામાના ઘરે આવ્યા હતા
રાજકોટ :શહેર નજીક રૈયા પાસે દલિત પરિવારના ત્રણ બાળકો સવન ફ્લેટના ખાડામાં ડૂબી જતા કરૂણમોત નિપજ્યા છે
આ અંગે મળતી વિગત મુજબ દલિત પરિવાર ના 4 બાળકો બપોરે 1 વાગ્યાથી ઘરે નીકળ્યા બાદ આવ્યા પરત ફર્યા નહોતા જોકે ચારમાંથી એક પાછો આવ્યો હતો અને બાકીના ન્હાવા ગયા હોવાની જાણ કરી હતી
તમામ રૈયા ગામના એવા આ બાળકોના સવન ફ્લેટ પાસે આવેલ મોટા ખાડા પાસેથી તેમના બુટ ચંપલ મળ્યા હતા આ ખાડામાં ડૂબી ગયાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરતા એક મૃતદેહ મળ્યા બાદ વધુ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા
મરણ જનાર સમિર મુકેશભાઈ મકવાણા ( ઉ,વ,14 ) રૈયા આંબેડકર નગર રહેવાસી )) કરણ જગદીશભાઈ વઘેરા ( ઉ,વ,14 ) ( રહે, ઢાઢણી ગામ ) અને અર્જુન જગદીશભાઈ વઘેરા ( ઉ,વ,14 ) ( રહે, ઢાઢણી ગામ ) ના મૃતદેહ મળી આવ્યા છે
મૃતક ઢાઢણી ગામના કરણ જગદીશભાઈ વધેરા અને અર્જુન જગદીશભાઈ વધેરા બંને બાળકો મામાના ઘરે આવ્યા હતા
આ ઘટના સ્થળે સમગ્ર રૈયા ગામ ના લોકો ઉમટી પડ્યા છે યુનિવર્સિટી પીઆઇ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો છે