રાજકોટ
News of Saturday, 11th August 2018

નાયડુને રાજકોટના સ્મરણો તાજા કરાવતા જનાણી

ભારતીય પ્રૌઢ શિક્ષા સંઘ દ્વારા ન્યુ દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ પંડિત જવાહરલાલ નહેરૂ અને ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર લીટર્સી એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ વેંકટ નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એવોર્ડ વિતરણ કર્યા બાદ પ્રોટોકોલ બાજુમાં મૂકી છુટથી દેશભરનાં શિક્ષણકારો અને સામાજિક કાર્યકર્તાઓને મળ્યા હતા. તસ્વીરમાં આ કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલ સમાજ સેવા સંગઠક યશવંત જનાણીએ પણ વેંકટ નાયડુની મુલાકાત લઇ તેમની સાથે તેમની રાજકોટ મુલાકાત સમયનાં સ્મરણો તાજા કર્યા હતા. આ પહેલા જનાણીએ કાર્યવાહક સમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો. (૭.૪૪)

(3:56 pm IST)