News of Friday, 10th August 2018
મહિલા પોલીસ મથક દ્વારા લોકદરબારમાં ઘરેલુ હિંસાના ૨૮ કેસોનું નિરાકરણ
રાજકોટઃ. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રાવત, જોઈન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રી તથા ડીસીપી તથા ઝોન-૨ના એસીપીની સૂચનાથી મહિલા પોલીસ મથકના પીઆઈ પી.બી. સાપરાના માર્ગદર્શન હેઠળ આજે રેસકોર્ષ પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ ભવનમાં 'લોકદરબાર' યોજાયો હતો. જેમાં બપોર સુધીમાં ઘરેલુ હિંસાના મામલે ૨૮ અરજદારો આવ્યા હતા. મહિલા પોલીસ મથકના તમામ પીએસઆઈ તથા સ્ટાફે ૨૮ અરજદારોના બન્ને પક્ષને બોલાવાયા હતા અને બન્ને પક્ષને સમજાવી કેસનું સમાધાન કરાવવામાં આવ્યુ હતું (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૨)
(3:52 pm IST)