રાજકોટ
News of Friday, 10th August 2018

સામાન્ય સભામાં ગેરહાજર રહેલા ૧૨ નગરસેવકોનો પૂછાશે રૂબરૂ ખુલાસો

રાજકોટ, તા. ૧૦ :. કોંગી નિરીક્ષકોએ નગરસેવકોની સેન્સ લઈ કોને વિપક્ષી નેતા બનાવવા તે અંગે કોર્પોરેટરોને ફેઈસ-ટુ-ફેઈસ પૂછાણ શરૂ કર્યુ છે ત્યારે અગાઉ મહત્વની એવી જનરલ બોર્ડમાં ૧૨ નગરસેવકો ગેરહાજર રહ્યા હતા તે અંગે નિરીક્ષકો રૂબરૂ ખુલાસો પણ પુછવાના હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આ ૧૨ નગરસેવકોમાંથી કોઈને વિપક્ષી નેતા બનાવવાના સંજોગો અત્યંત ધૂંધળા છે. ગેરહાજર રહેનારા કોર્પોરેટરો પાસેથી નિરીક્ષકો તેઓ કયાં સંજોગોમાં ગેરહાજર રહ્યા હતા અને શા માટે ગેરહાજર રહ્યા હતા તે અંગેની વિગતો પણ પૂછશે તેમ મનાય છે.

(3:34 pm IST)