રાજકોટ
News of Thursday, 11th July 2019

રાજકોટ જીલ્લા રાજપૂત સમાજની દ્વિતિય સાધારણ સભા : વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનાર

૧૪ જુલાઇના રોજ ગીરાસદાર રાજપૂત છાત્રાલય ખાતે આયોજન

રાજકોટ, તા. ૧૧ : શ્રી રાજકોટ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સમાજની દ્વિતીય વાર્ષિક સાધારણ સભા તેમજ કચ્છ કાઠીયાવાડ રાજપૂત સેવા સમાજ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનારનું આયોજન તારીખ ૧૪ જુલાઈ રવિવારનાં રોજ શ્રી હરભમજીરાજ ગીરાસદાર રાજપૂત છાત્રાલય રાજપૂતપરા-૬ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. શ્રી રાજકોટ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સમાજની દ્વિતીય વાર્ષિક સાધારણ સભા ૧૪ જુલાઈ રવિવારનાં રોજ સવારે ૯.૩૦થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન તથા કચ્છ કાઠીયાવાડ રાજપૂત સેવા સમાજ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનાર બપોરે ૨થી ૫ વાગ્યા દરમિયાન યોજાશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાનાં તમામ તાલુકા રાજપૂત સમાજ, યુવક મંડળો, રાજપૂત યુવા સંદ્ય, કરણી સેના, રાજપૂત (ક્ષત્રિય) સમાજનાં તમામ સંગઠનોનાં હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સહકારી મંડળી પ્રમુખો, સભ્યો, તાલુકા-જિલ્લા સંદ્યો, સહકારી બેંકોનાં હોદ્દેદારો, સરપંચશ્રીઓ, સામાજિક, રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ વગેરે તમામ તેમજ રાજકોટ શહેરની રાજપૂત (ક્ષત્રિય) સમાજની તમામ સંસ્થા શ્રી ક,કા,ગુ.ગ. એસો. શ્રી હરભમજી રાજપૂત છાત્રાલય તેમજ ભૂ.વી.મંડળ, શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ, શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંદ્ય, શ્રી મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, શ્રી ગજકેસરી યુવા સંગઠન ફાઉન્ડેશન, શ્રી ગીરાસદાર રા. યુ. સંદ્ય, શ્રી જિલ્લા કરણી સેના, રાજ ક્ષત્રિય ફાઉન્ડેશન તેમજ નાના મોટા શહેરનાં અન્ય સંગઠનોનાં હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ, રાજકીય-સામાજિક આગેવાનશ્રીઓ, શહેરનાં તમામ વોર્ડનાં રાજકીય-સામાજિક અગ્રણીઓ, કોર્પોરેટરશ્રીઓ, તમામ પક્ષનાં પદાધિકારીઓ-હોદ્દેદારો અને સમાજનાં શુભચિંતકો, હિતચિંતકો અને શ્રેષ્ઠીઓને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે શ્રી રાજકોટ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સમાજ સંકલન સમિતિ, શ્રી રાજકોટ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સમાજ, શ્રી રાજકોટ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) યુવા સમાજ મો.નં. ૯૮૨૪૨૨૨૯૩૪, ૯૭૨૬૯ ૭૫૮૩૩, ૯૮૨૪૪૨૪૨૨૮ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

(3:45 pm IST)