રાજકોટ
News of Thursday, 11th July 2019

સવારે હૃદયરોગનો ગંભીર હુમલો આવતા

ગુરૂદેવના અનન્ય શિષ્ય જીતુભાઇ ચતવાણીનો દેહ વિલય

રાજકોટઃ ગુરૂદેવ પૂ. રણછોડદાસજી મહારાજના અનન્ય સેવક અને ગુરૂદેવના ન્યારા આશ્રમના ટ્રસ્ટીશ્રી જીતુભાઇ ચતવાણીનું  દુઃખદ અવસાન થતા ભારે આઘાતની લાગણી પ્રસરી ગઇ છે. આજે સવારે તેમના જાગનાથ ખાતેના નિવાસ સ્થાને હૃદય રોગનો ગંભીર. હુમલો આવતા સીનર્જી હોસ્પિટલમાં લઇ જવાયેલ. આજે સાંજે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નિકળશે.

તેઓ રાજકોટ નજીક ન્યારા ગુરૂદેવના આશ્રમના ટ્રસ્ટી હતા અને કચ્છ-ભુજ ભુકંપ વખતે અનન્ય સેવાઓ આપી હતી.

રાજકોટ ખાતેના ગુરૂદેવ શ્રી રણછોડદાસજી આશ્રમના રીનોવેશનમાં શ્રી જીતુભાઇ એ તન-મન-ધનથી સેવા આપી હતી. રાજકોટના જાણીતા બિલ્ડરોમાં તેમનુ માનભર્યું નામ હતુ. અકિલા પરીવારના તેઓ વેવાઇ થાય છે.

ગુરૂદેવ પૂ. રણછોડદાસજી મહારાજે મુંબઇમાં ૧૯૭૦માં જેમના નિવાસ સ્થાને દેહત્યાગ કરેલ તે સ્વ. રામભાઇ ગોકાણી જીતુભાઇના સગા માસા થાય. આખો પરિવાર પૂ. ગુરૂદેવના અનન્ય અનુયાયી છે. પુ. ગુરૂદેવ આશ્રમના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઇ વસાણી, પ્રફુલાબેન, અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા અને તેમના પરિવારજનો મિત્રો, સ્નેહીઓ નિવાસે દોડી ગયા હતા.

સાંજે ૫ાા વાગે સ્મશાન યાત્રા નિકળશે

 શ્રી જીતુભાઇ મથુરાદાસ ચતવાણી તે ડો. નટુભાઇ વિઠ્ઠલાણીના જમાઇનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આજે તા.૧૧/૭/૨૦૧૯ના સાંજે ૫ાા વાગે તેમના નિવાસ સ્થાન ત્રિલોક, ૨૨ ન્યુ જાગનાથથી નીકળશે. અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિદાય અપાશે.

(12:43 pm IST)