રવિવારે મહારાણા પ્રતાપની જન્મજયંતિઃ પુષ્પાંજલી- વંદના
સરકારી નિયમોનું પાલન કરાશેઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આયોજન
રાજકોટઃ આગામી રવિવાર તા.૧૩ના રોજ સનાતન ધર્મ રક્ષક, હિંદવા સૂરજ, પ્રાતઃ સ્મરણીય ક્ષત્રિય કુળ ભૂષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીની ૪૮૧ મી જન્મ જયંતિ ની ઉજવણી અંતર્ગત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ મહાઆરતી મહારાણા વંદના કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ માં સર્વે ક્ષત્રિય બંધુઓ તથા હિન્દુધર્મ ના આગેવાનો ને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન, જય ભવાની રાજપૂત યુવા સેના, શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ તરફ થી આમંત્રણ અપાયું છે. વર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે નિયમોનુ પાલન કરવામાં આવશે. તા.૧૩ રવિવાર, સવારે ૯ વાગે, સ્થળઃ શ્રી મહારાણા પ્રતાપ પ્રતિમા ચોક, સોરઠીયા વાડી સર્કલ, રાજકોટ