રાજકોટ
News of Tuesday, 11th June 2019

ગાયક કલાકાર ફ્રેન્કલીન ક્રિશ્ચિયને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

દેશવિદેશમાં વિવિધ કાર્યક્રમોમાં પર્ફોમ્સ આપનાર

રાજકોટઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ૪૧ વર્ષનાં સિંગર ફ્રેન્કલીન ક્રિશ્યિયને પોતાના દ્યરે જ ગળેફાંસો ખાઇને આપદ્યાત કરતા ચકચાર મચી જવા પામી છે ફ્રેન્કલિનના આત્મહત્યાં કરતા પરિવાર અને કલાકારોમાં શોકની લાગણી છવાઇ છે. બનાવની જાણ થતાં ખોખરા પોલીસ દ્યટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

 દેશવિદેશમાં વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરી ચુકેલા સિંગરે કયા કારણોસર આપદ્યાત કર્યો છે તે સામે આવ્યું નથી. ફ્રેન્કલીન સાંસ્કૃતિક કાર્યક્રમોમાંપરફોર્મ પણ કરતા હતાં અને તેનું આયોજન પણ કરતા હતાં.

ઙ્ગપોલીસ ઘરની તપાસ કરી રહી છે અને પરિવાર તથા આસપાસનાં લોકોની પૂછપરછ કરી રહી છે.

(4:24 pm IST)