રાજકોટ
News of Tuesday, 11th June 2019

ઇવીએમ પ્રતિરોધ દિવસની ઉજવણી

રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા ૮ જુને ઇ.વી.એમ. પ્રતિરોધ દિવસની ઉજવણી કરાઇ હતી. સીવીલ હોસ્પિટલ ચોકમાં ડો. આંબેડકરજીની પ્રતિમાથી કલેકટર કચેરી સુધી પગપાળા યાત્રા કરી સુત્રોચ્ચાર સાથે બેનરો પ્રદર્શીત કરાયા હતા. ઇ.વી.એમ. હટાવો અને નિશાનો બદલોની માંગણી બુલંદ બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મતદાર એકતા મંચના મુખ્ય સંયોજક અશોકભાઇ પટેલ તેમજ પ્રવિણભાઇ લાખાણી, મોહનભાઇ સોજીત્રા, જીજ્ઞેશભાઇ કાલાવડીયા, ઉત્તમ રાઠોડ, અમિત કાંતા પટેલ, જી. બી. પરમાર, દીનેશ ચૌહાણ, રાકેશ રૂપાપરા, માયાબેન મલકાણ, આસીફભાઇ શેખ, મુનાફભાઇ મેમણ, શીરાઝ શાહ, ઇશ્વરભાઇ મકવાણા, પ્રતિક વસોયા, રાજેશભાઇ કીયાડા, દીલીપ નગાણી, મુકેશભાઇ લાંગણેચા વગેરે સાથે જોડાયા હતા.

(3:51 pm IST)