રાજકોટ
News of Tuesday, 11th June 2019

માધાપરમાં કેટરર્સ સંચાલક રસિકભાઇ કુંભારે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

પત્નિએ દરવાજો ખખડાવતાં નહિ ખોલતાં તોડીને જોતાં પતિ લટકતા મળ્યાઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૧: માધાપર ઇશ્વરીયા પાર્ક દ્વારકાધીશ પંપ પાછળ રહેતાં રસિકભાઇ નાગજીભાઇ આસીયાણી (ઉ.૩૪) નામના વરીયા કુંભાર યુવાને પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

કેટરર્સનું કામ કરતાં રસિકભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર છે. ગઇકાલે બપોર બાદ કેટરર્સનું કામ પતાવી ઘરે આવી રૂમમાં સુઇ ગયા હતાં. સાંજે સાડા પાંચ સુધી ન ઉઠતાં પત્નિ ખુશ્બૂબેન ઉઠાડવા જતાં દરવાજો નહિ ખોલતાં બીજા લોકોને બોલાવી દરવાજો તોડાવીને જોતાં પતિ લટકતાં દેખાતાં કલ્પાંત સર્જાયો હતો.

ગાંધીગ્રામના પીએસઆઇ એમ. ડી. વાળા અને વિરૂભા ગોહિલે જરૂરી કાર્યવાહી  કરી હતી. આપઘાતનું કારણ હાલમાં બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:39 pm IST)