News of Tuesday, 11th June 2019
એકલવાયુ જીવન જીવતાં ચનાભાઇની જિંદગીની સફરનો ફૂટપાથ પર અંત
કોળી વૃધ્ધની સવારે ભાવનગર રોડ પરથી લાશ મળી
રાજકોટ તા. ૧૧: ભાવનગર રોડ પર રાજમોતી મિલ સામે સવારે ફૂટપાથ પર એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતાં થોરાળાના એએસઆઇ ગોકુળભાઇ વાસાણી અને રાઇટર કિશોરભાઇએ પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકની ઓળખ મેળવવા આસપાસમાં પુછતાછ કરતાં વલ્લભભાઇ નામના એક વૃધ્ધે મૃતક પોતાની સાથે કામ કરતાં ચનાભાઇ દેવશીભાઇ જાડા (કોળી) (ઉ.૬૦) હોવાનું અને એકલવાયુ જીવન જીવતાં હોવાનું કહ્યું હતું. હાર્ટએટેક કે બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ હતું. મૃતકના ભાઇ નવાગામ તરફ રહેતાં હોવાની માહિતી મળતાં તેને જાણ કરવા તજવીજ કરવામાં આવી હતી.
(3:38 pm IST)