તારા દિયરની દિકરીની કાલાવડ થયેલી સગાઇ તોડી નાંખજે કહી બીનાબેન પર પાઇપથી હુમલો
રૈયાધારના દેવીપૂજક મહિલા કિટીપરામાં દિકરીના ઘરે આવ્યા ત્યારે ચામુંડા માતાજીના મંદિર પાસે રૈયાધારના મનિષ, લાલો અને સંજય હુમલો કરી છનન
રાજકોટ તા. ૧૧: રૈયાધારના દેવીપૂજક મહિલા કિટીપરામાં દિકરીના ઘરે આવ્યા ત્યારે રૈયાધારના ત્રણ શખ્સોએ 'તારા દિયરની દિકરીની સગાઇ તોડી નાંખજે' તેમ કહી પાઇપથી હુમલો કરી હાથમાં ગંભીર ઇજા કરતાં ફરિયાદ થઇ છે.
રૈયાધાર ચાર માળીયા કવાર્ટર પાછળ રામભાઇની દૂકાન પાસે રહેતાં બીનાબેન દિપકભાઇ દેત્રીજીયા (ઉ.૪૦) નામના દેવીપૂજક મહિલાને તે કીટીપરામાં હતાં ત્યારે રૈયાધારના મનિષ બિજલ, લાલો બિજલ અનેસંજય મનિષે મળી લોખંડના પાઇથી હુમલો કરી કાંડા પર ઇજા કરી તેમજ લાલા અને સંજયે ઢીકા-પાટુનો માર મારી ઇજા કરી હતી.
બીનાબેન સારવાર માટે દાખલ થતાં પ્ર.નગરના પીએસઆઇ બી.વી. બોરીસાગરે તેની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો. બીનાબેનના કહેવા મુજબ તે પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજે પોતે કિટીપરામાં રહેતી દિકરી સુમનને ત્યાં ગયા હતાં. નજીકમાં ચામુંડા માતાજીના મંદિરે પોતે, પતિ અને સસરા જયંતિભાઇ બેઠા હતાં ત્યારે મનિષ બિજલ સહિતનાએ આવી કહ્યું હતું કે તમારા દિયરની દિકરી સંજનાની કાલાવડ સગાઇ કરી છે તે તોડી નાંખજો...આથી બીનાબેને સગાઇ તોડવાની ના પાડતાં મનિષ સહિતનાએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. બચાવવા માટે પુત્રી, પતિ અને સસરાએ વચ્ચે પડતાં અને બીજા લોકો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં.