શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મૃત્યુ સહાય યોજના ચેક અર્પણ
રાજકોટ : શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટની ''મૃત્યુ સહાય યોજના''ના સભ્ય નં. ૧૨૬ કંસારા રતિભાઈ સુંદરજીભાઈ ચિતલીયાનું અવસાન થતા તેઓના વારસદાર તરફથી મૃત્યુ પ્રમાણપત્ર રજૂ થતાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રસીકભાઈ ધનજીભાઈ વાઘસણા, ટ્રસ્ટી ઈશ્વરભાઈ ધોરાજીયા, પ્રદિપભાઈ કે. કરગથરા, જમનભાઈ જી. સીનરોજા તથા રમણીકભાઈ આર. પાટણવાડીયા ઉપરાંત કંસારા જ્ઞાતિ અગ્રણી ગુણવંતભાઈ ડેલાવાળાએ રૂબરૂ જઈ રૂ.૬૦ હજારનો ચેક તેમના વારસદાર સમીરભાઈ રતિભાઈ ચિતલીયાને મૃત્યુ સહાય ચેક અર્પણ કરેલ. હાલ આ મૃત્યુ સહાય યોજનામાં ૨૭૫થી વધુ પરીવારો જોડાયેલ છે. વિશ્વકર્મા વંશજના વધુ પરીવારો આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે સમીરભાઈ રસીકભાઈ ડી. વાઘસણા મો. ૯૮૯૮૦ ૯૮૪૪૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.