News of Monday, 11th June 2018
મયુરભાઈ શાહને આંગણે ગૂરૂભગવંતોની પધરામણીઃ ગોચરીનો લાભ લીધો
રાજકોટઃ ગુજરાત સરકારના ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેકશન કમીશનના ડિરેકટર જૈન અગ્રણી મયુરભાઈ શાહના નિવાસ સ્થાને પૂ.સુશાંત મુનિ મ.સા., પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા. પાવન પગલા કર્યા હતા. સ્વ.મયુરભાઈ શાહના ધર્મપત્નિ ધર્માનુરાગી સ્વ.મીતાબેનની ધર્મ ભાવનાને પૂ.ગુરૂદેવે યાદ કરી મયુરભાઈને ધર્મ સંદેશ સાથે સાંત્વના પાઠવી બંને વ્હાલી દિકરીઓને ગુરૂદેવે આશીર્વાદ આપ્યાં હતા. મયુરભાઈ શાહે ભાવિકોને રૂ.૫૦ના પ્રભાવના તથા ગુરૂદેવને ગોચરી વ્હોરાવવાનો મહામૂલો લાભ લીધો હતો.
(2:38 pm IST)