રાજકોટ
News of Tuesday, 11th May 2021

છ મહિના પહેલા છુટાછેડા લેનારા ચોટીલાના મુન્નાભાઇએ રાજકોટ જિંદગી ટૂંકાવી લીધી

એકલવાયા જીવનથી કંટાળીને માંડા ડુંગર સામે આજીડેમમાં પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટીઃ રાજકોટ ભાણેજ સાથે રહીને છુટક મજૂરી કરતાં હતાં

રાજકોટ તા. ૧૧: આજીડેમ નજીક માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં  ભાણેજ સાથે રહી છુટક મજૂરી કરતાં મુળ ચોટીલાના મુનાભાઇ જીલુભાઇ સારધીયા (ઉ.વ.૪૦)એ માંડા ડુંગર સામેના ભાગે આજીડેમમાં પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મુનાભાઇ ચોટીલા રહેતાં હતાં. છ મહિના પહેલા છુટાછેડા થઇ જતાં એકલા થઇ જતાં રાજકોટ પીઠડઆઇમાં ભાણેજ સાથે રહેવા આવ્યા હતાં. એકલવાયા જીવનથી કંટાળી જઇ આપઘાત કરી લીધાનું પરિવારજનોની પ્રાથમિક પુછતાછમાં બહાર આવ્યું હતું.

(12:59 pm IST)