News of Wednesday, 11th April 2018
પત્નિ રિસામણેથી પાછી ન આવતાં શિવાજી નગરના અશ્વિને ફાંસો ખાધો
કોળી યુવાનને માતા જોઇ જતાં તાકીદે હોસ્પિટલે ખસેડતાં જીવ બચી ગયો
રાજકોટ તા. ૧૧: દૂધ સાગર રોડ પર શિવાજીનગર-૧૪માં રહેતાં અશ્વિન પરષોત્તમભાઇ મેર (ઉ.૨૮) નામના કોળી યુવાને રાત્રીના સવા દસેક વાગ્યે ઘરમાં લાકડાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેના માતા હંસાબેન જોઇ જતાં તાકીદે નીચે ઉતારી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.
અશ્વિન ત્રણ ભાઇ અને એક બહેનમાં ત્રીજો અને પરિણીત છે. તેના લગ્ન ખેરવાની હીરલ સાથે થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અશ્વિન ઘર બેઠા બંગડી બનાવવાનું કામ કરે છે. ત્રણ-ચાર દિવસ પહેલા પત્નિ સાથે ચડભડ થતાં તેણી માવતરે જતી રહી હતી. તે પાછી ન આવતી હોઇ માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું તેના પરિવારજને જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ થોરાળા પોલીસને જાણ કરી હતી.
(12:10 pm IST)