૧૪ થી ૧૬ વચ્ચે ભાજપ સેન્સ લેશે : ૧૭ થી ૧૯ પાર્લામેન્ટરી બોર્ડ
કાલે સવારથી ઓમ માથુરની હાજરીમાં કમલમ્માં ચૂંટણીલક્ષી બેઠકોનો દોર શરૂ થશે : ત્રણ-ત્રણ નિરીક્ષકોની પેનલ : રાજકોટમાં નરહરિ અમીન, જેબલિયા અને જયાબેનઃ નીતિન ભારદ્વાજ સુરેન્દ્રનગરમાં : બીનાબેન જામનગર અને ભાનુબેન ભાવનગરમાં: રૂપાપરાને જૂનાગઢની જવાબદારી
રાજકોટ, તા. ૧૧ :. ગઈકાલે સંસદની ચૂંટણી જાહેર થતા ભાજપે ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપ્યો છે. આજે સેન્સ લેવા માટે એક મહિલા સહિત ત્રણ ત્રણ આગેવાનોની નિરીક્ષક પેનલ જાહેર કરી છે. તા. ૧૪થી ૧૬ વચ્ચે નિરીક્ષકો જે તે મતક્ષેત્રમાં જઈ અપેક્ષિત કાર્યકરોની સેન્સ લેશે. તા. ૧૭થી ૧૯ વચ્ચે નિરીક્ષકોને બોલાવી પાર્લામેન્ટરી બોર્ડમાં તેના અહેવાલની ચર્ચા થશે. ત્યાર બાદ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોના એક એક નામ અથવા પેનલ તૈયાર કરી કેન્દ્રીય નેતાગીરીને મોકલશે. તા. ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદત છે. ગુજરાતના ભાજપના ઉમેદવારો તા. ૧ એપ્રિલ આસપાસ જાહેર થાય તેવી સંભાવના છે.
પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુર ફરી ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે સવારથી સાંજ સુધી તેમની હાજરીમાં જિલ્લા નિરીક્ષકો સહિતના અગ્રણીઓની ચૂંટણીલક્ષી બેઠક મળનાર છે. જેમાં તમામ ૨૬ બેઠકો જીતવાનો એકશન પ્લાન નક્કી થશે.
ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ પાર્ટી વતી જાહેર કરેલ નિરીક્ષકો પૈકી સૌરાષ્ટ્રની નામાવલી નીચે મુજબ છે.
રાજકોટ બેઠક
નરહરિ અમીન
બાબુભાઈ જેબલીયા
જયાબેન ઠક્કર
સુરેન્દ્રનગર બેઠક
સૌરભ પટેલ
નીતિન ભારદ્વાજ
જશુબેન કોરાટ
પોરબંદર બેઠક
શંભુનાથ ટુંડીયા
રમેશ મુંગરા
આદ્યાશકિત મજમુદાર
જામનગર બેઠક
મનસુખ માંડવિયા
રમણલાલ વોરા
બીનાબેન આચાર્ય
જૂનાગઢ બેઠક
ચીમનભાઈ સાપરિયા
રમેશ રૂપાપરા
અમીબેન પરીખ
અમરેલી બેઠક
આર.સી. ફળદુ
જયંતીભાઈ કવાડિયા
નીમુબેન બાંભણીયા
ભાવનગર બેઠક
મુળુભાઈ બેરા
મહેશ કશવાલા
ભાનુબેન બાબરીયા