News of Monday, 11th February 2019
બજેટમાં કરબોજો નાબુદ કરીને નવા-બ્રિજ સહિતની જોગવાઇઓ આવકારદાયક
બજેટને આવકારતાં જૈમન ઉપાધ્યાય-પુસ્કર પટેલ
રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં આજે મંજુર થયેલા બજેટમાંથી આવક બાજુએથી ૪૧ કરોડ જેટલા કરબોજા કાઢી નંખાયા હોવા છતાં સોરઠિયાવાડી સર્કલ, નાના મોૈવા સર્કલ, કોઠારિયા સોલવન્ટ વગેરે સ્થળોએ નવા બ્રિજ ઉપરાંત ફુટ બ્રિજ સહિતની નવી સુવિધાઓની જોગવાઇઓ કરવામાં આવી તે આવકારદાયક છે. આ બજેટ સંપૂર્ણ પ્રજાલક્ષી હોવાનું જણાવી પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે આવકાર્યું છે.
(3:24 pm IST)