રાજકોટ
News of Monday, 11th January 2021

સફાઇ કોન્‍ટ્રાકટ બંધ કરાવી સફાઇ કામદારોની ભરતી કરવા માંગ

અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘ દ્વારા સફાઇ કોન્‍ટ્રાકટ બંધ કરવા માંગ ઉઠાવી અને મ્‍યુ. કમિશનરને આવેદન પાઠવી જણાવ્‍યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા સફાઇ કોન્‍ટ્રાકટ બંધ કરવા તેમજ તેમને પુરૂ વેતન આપવુ સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ રોજે રોજ કામ લેતા તમામને સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ દરેક કામદારને પુરૂ વેતન આપવું. આ સફાઇ કોન્‍ટ્રાકટ જે સુપ્રીમ કોર્ટે હંગામી તેમજ તાત્‍કાલીક ધોરણે કાર્ય કરવા માટે કોન્‍ટ્રેકટ પ્રથા દાખલ કરેલ હતી, પરંતુ હવે તો દરેક જગ્‍યાએ કોન્‍ટ્રાકટથી કામ આપીને કામદારનું શોષણ કરવાની નીતિ પણ બનતી જાય છે,  ત્‍યારે આવી કોન્‍ટ્રાકટ પધ્‍ધતી બંધ કરવામાં આવે અને કાયમી સફાઇ કામદારોની નિમણુંક કરવામાં આવે તેવી અખિલ ભારતીય સફાઇ મઝદૂર સંઘના શહેર પ્રમુખ કિરણભાઇ વાઘેલા  તેમજ શહેર મહામંત્રી નવીન વાઘેલા, મણીદીપ પરમાર, ભરતભાઇ, સરજુભાઇ, ભરત મકવણા, તેમજ જયોત્‍સનાબેને માંગણી કરી હતી. તે વખતની તસ્‍વીર.

 

(4:39 pm IST)