રાજકોટ
News of Monday, 11th January 2021

વધુ પડતું નશીલુ પ્રવાહી પીવાથી તબિયત બગડીઃ ગંજીવાડાના જાહીદશાનું મોત

અકસ્માત નડ્યો હોઇ એકાદ વર્ષથી ઘરે જ હતોઃ ત્રણેક દિવસથી મહમદીબાગમાં પિતાના ઘરે હતોઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૧: ગંજીવાડામાં મેરામબાપાની વાડી પાસે રહેતો જાહીદશા મહમદશા શાહમદાર (ઉ.વ.૩૧) ગઇકાલે કોઠારીયા સોલવન્ટ પાસે મહમદીબાગમાં પિતાના ઘરે હતો ત્યારે તબિયત બગડતાં બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. જી. અંબાસણા અને રમેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના પરિવારજનના કહેવા મુજબ એક વર્ષ પહેલા અકસ્માત નડ્યો હોઇ જાહીદશા કામ કરી શકતો ન હોઇ ઘરે જ રહેતો હતો. બે ત્રણ દિવસથી પિતાના ઘરે આવ્યો હતો. નશો કરવાની આદત હતી. ગઇકાલે કોઇ પ્રવાહી વધુ પડતું પી ગયા બાદ કદાચ હાર્ટએટેક આવી ગયાની શકયતા તેના પરિવારજનોએ જણાવી હતી.

(4:01 pm IST)