રાજકોટ શહેર -જીલ્લામાં કોરોનાએ ઓચિંતો ફુંફાડો માર્યોઃ આજે એક સાથે સાતના મોત : નવા ૧૨ કેસ
શહેરમાં ગઇ કાલે ૮૨૨ સેમ્પલ પૈકી ૮૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૭.૭૯ ટકા થયો : કુલ કેસનો આંક ૧૪,૨૫૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૧૩,૬૮૪ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો
રાજકોટ, તા.૧૧: વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આજે ૭ મોત થયા છે. જયારે શહેરમાં ગઇકાલે ૮૨૨ લેવાયા હતા. જેમાં ૬૪ કેસ નોંધાતા ૭.૭૯ ટકા પોઝિટિવ રેટ થયો છે. જે છેલ્લા ૪ થી ૫ મહિનાનો સૌથી વધુ પોઝિટિવ રેટ છે.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૨ પૈકી એક પણ મૃત્યુ જાહેર કર્યુ નથી.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલ તા.૧૦નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૧ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૭ દર્દીઓએ દમ તોડી દીધા હતો.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૨૯૬ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.
જીલ્લામાં આજે નવા ૬ સહિત કુલ ૮૯ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.
બપોર સુધીમાં ૧૨ કેસ
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ --૧૨ નવા કેસ સાથે કુલ ૧૪,૨૫૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે અને તે પૈકી ૧૩,૬૮૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૦૯ ટકા રિકવરી રેટ થયો
ગઇકાલે કુલ ૮૨૨ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૬૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૭.૭૯ ટકા થયો છે. જયારે ૭૪ દર્દીઓને સાજા થયા છે.
જયારે આજ દિન સુધીમાં ૫,૪૮,૫૪૬ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૨૫૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૦ ટકા થયો છે.