સાયકલના વેપારી સુરેશભાઇ પરમારનું બેભાન હાલતમાં મોત
અમિન માર્ગના કારડિયા રજપૂત પરિવારમાં શોક
રાજકોટ તા. ૧૧: અમિન માર્ગ પર ચંદન સુપર માર્કેટ સામે રહેતાં કારડીયા રજપૂત વેપારી સુરેશભાઇ દેશળજીભાઇ પરમાર (ઉ.વ.૫૭) રાતે બે વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર સુરેશભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ પી. સુરેશ નામથી સાયકલની દૂકાનમાં બેસી વેપાર કરતાં હતાં.
વૃધ્ધાશ્રમમાં વસંતભાઇનું મોત
ગોંડલ રોડ સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં વસંતભાઇ જેઠાભાઇ રાણા (ઉ.વ.૭૦) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.