જીએસટી રાજકોટ સીએ બ્રાંચ દ્વારા માર્ગદર્શન સેમીનાર
રાજકોટઃ જીએસટી સ્ટેકહોલ્ડર અવેરનેસ દિવસના ભાગરૂપે ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ગીરીરાજ નગરના વિશાળ આધુનિક સીએ ભવનમાં જીએસટીને લગતા સેમીનારનું આયોજન થયું હતુ. જેમાં જીએસટીના કાયદાનું નવુ રીટર્ન ફોર્મેટ અનેકસચર - ૧ તેમજ ૨ અને વ્યવહારીક અભિગમથી જીએસટીઆર ૯ સીનું વિશ્લેષણ જેવા વિષયો ઉપર અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટરો તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ સેમીનારમાં શ્રી વિશાલ માલાણી- સીજીએસટી જોઇન્ટ કમિશનર- રાજકોટ તથા શ્રી મનીષકુમાર ચાવડા- જોઇન્ટ કમિશનર ઓડિટ કમિશનરેટ - રાજકોટ એ જીએસટીના નવા રિટર્ન ફોર્મેટ એનેકસચર-૧ અને ૨ વિશેની માહિતી આપી હતી. તથા અમદાવાદથી સીએ મીત જોડાવાલાએ જીએસટીઆર ૯ અને જીએસટીઆર ૯સીના વિશ્લેષણ વિષે માર્ગદર્શન આપ્યું હતુ. આ સેમીનારમાં સમગ્ર આશરે ૩૦૦ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટરો તથા સીએ વિદ્યાર્થીઓ ભાગ લીધો અને જીએસટી વિશેની માહિતી મેળવી હતી.
આ સેમીનારને સફળ બનાવવા રાજકોટ સીએ બ્રાંચના ચેરમેન સીએ ભાવિન મહેતા, વાઇસ ચેરમેન સીએ વિનય સાકરીયા, સેક્રેટરી સીએ હાર્દિક વ્યાસ અને ટ્રેસરર સીએ જીજ્ઞેશ રાઠોડ, ડબલ્યુઆઇસીએએસએ ચેરપર્સન દિપ્તી સવજાણી તથા તમામ કમિટિ મેમ્બર્સએ જહેમત ઉઠાવી હતી.