રાજકોટ
News of Tuesday, 10th December 2019

રાજકોટના લલીતભાઇ ભટ્ટનું ઉનામાં બેભાન થઇ ગયા બાદ મોત

ચામડીની બિમારીની સારવાર માટે ગયા'તા

રાજકોટ તા. ૧૦: બંગડી બજા પારેખ વોચ સામે રહેતાં લલીતકુમાર બળવંતરાય ભટ્ટ (ઉ.વ.૫૦) ઉના સગાને ત્યાં ચામડીના દર્દની સારવાર માટે ગયા હોઇ ત્યાંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ત્યાં સારવાર અપાઇ હતી. એ પછી તેમને રાજકોટ લાવતી વખતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રવિભાઇએ ઉના પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. મૃતક કારખાનામાં કામ કરતાં હતાં. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:41 am IST)