રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા પૂજા પાર્કમાં કાલે જલારામ જન્મોત્સવ
અંબાજી મંદિરેથી સામૈયા : જલારામ ઝુપડી ખાતે મહાઆરતી : સાંજે અન્નકોટ - મહાપ્રસાદ
રાજકોટ તા. ૧૦ : રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે સંત શિરોમણી પરમ પૂજય શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતીની ભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવશે.
કોઠારીયા મેઇન રોડ હુડકો પાણીના ટાંકા પાછળ, ક્રિષ્ના ચોક નજીક પૂજા પાર્કમાં આવેલ અંબાજી માતાના મંદિરથી પૂજય જલારામ બાપાના સામૈયા કરવામાં આવશે. ત્યારબાદ જલારામ ઝુંપડી ખાતે બપોરના ૧૨ કલાકે તમામ જલારામ ભકતો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. જલારામ ઝુપડી ખાતે સાંજે ૫.૩૦ કલાકે અન્નકુટનું આયોજન કરવામાં આવેલ છે.
સાંજે ૬.૩૦ કલાકે રઘુવંશી પરિવારના શ્રેષ્ઠીઓ તથા જલારામબાપાના ભકતો દ્વારા મહાઆરતી થશે. ત્યારબાદ ૭ વાગ્યાથી મહાપ્રસાદ શરૂ થશે.
તમામ ભકતોને મહાપ્રસાદ લેવા તથા મહાઆરતીમાં સૌને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.
આયોજનને સફળ બનાવવા સુનિલભાઇ પોપટ, ગીરીશભાઇ સોઢા, રાજેશભાઇ ગંગદેવ, નિખિલ વજાણી, પ્રતિકભાઇ ખખ્ખર, વિમલભાઇ વડેરા, ધર્મેશભાઇ ઉનડકટ, ભાવેશભાઇ સોઢા, નીતેશભાઇ પોપટ, ગીરીશભાઇ રાયઠઠ્ઠા, ધવલભાઇ ગણાત્રા, અતુલભાઇ કોટક, શૈલેષભાઇ ઠકરાર, નયનભાઇ કક્કડ, વિવેકભાઇ અખાણી, ભાવિનભાઇ પોપટ, પ્રકાશભાઇ ભુવા, કપિલભાઇ કોટક, નંદન પોપટ, ધ્રુવ સોઢા, યશ રાયઠઠ્ઠા, જીલ પોપટ, સાહિલ સોઢા, જય રાયઠઠ્ઠા, પાર્થ સોઢા, જયોતિબેન પોપટ, કવિતાબેન પોપટ, ચાંદનીબેન ગંગદેવ, વર્ષાબેન સોઢા, પારૂલબેન સોઢા, સરોજબેન વડેરા, કિર્તીબેન રાયઠઠ્ઠા, ડિમ્પલબેન ઉનડકટ, પૂજાબેન ગણાત્રા, હસ્તીબેન વજાણી, ભાવિકાબેન ખખ્ખર, મીનાબેન કોટક, ભાવનાબેન કોટક, જ્યોત્સાબેન અખાણી, હેતલબેન ઠકરાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા રઘુવંશી યુવા ગ્રુપ પૂજા પાર્ક સોસાયટીના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)