પેન્ટાગોન કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા કાલે જલારામ જયંતિ નિમિતે મહાઆરતી - મહાપ્રસાદ
રાજકોટ તા. ૧૦ : પેન્ટાગોન કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા કાલે તા. ૧૧ ના ગુરૂવારે જલારામ જયંતિ મહોત્સવનું ધર્મભીનું આયોજન કરાયુ છે.
'જલારામધામ', સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે, અંબીકા ટાઉનશીપ રોડ, કાલાવડ રોડ ખાતે આયોજીત આ ધર્મોત્સવ દરમિયાન કાલે સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.
ધૂન કિર્તન અને જય જલીયાણના નાદોથી સમગ્ર વાતાવરણ ધર્મમય બનાવી દેવાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા પેન્ટાગોન કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરિવારના સર્વશ્રી ધર્મેશભાઇ વસંત, બીમલભાઇ કોટેચા, સુરેશભાઇ લાખાણી, મનોજભાઇ ચતવાણી, પીયુષભાઇ નથવાણી, ગોપાલભાઇ જોબનપુત્રા, કેવલભાઇ વસંત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પેન્ટાગોન કોઝી કોર્ટ યાર્ડ રઘુવંશી પરિવારના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)