લીંબડી પંથકની મહિલાના વાહન અકસ્માત કેસમાં ર૩ લાખનું વળતર મંજુર કરાયું
રાજકોટ તા. ૧૦: લીંબડી પંથકના દેવપરા ગામના વાહન અકસ્માત મૃત્યુનાં કેસમાં રૂ. ર૩,૦૦,૦૦૦/- નું જંગી વળતર મંજુર કરવાનો રાજકોટ ટ્રીબ્યુનલે હુકમ કરેલ છે.
આ અંગેની હકીકત એવી છે કે લીંબડી પાસેનાં, દેવપરા ગામમાં રહેતાં, ગુજ. સુરજબેન ઇશ્વરભાઇ ઝાપડીયા તથા તેમના કૌટુમ્બીક સભ્યો કામ અર્થે જતા હતા ત્યારે વાન સાથે અકસ્માત થતા ગુજ. સુરજબેન ઇશ્વરભાઇ ઝાપડીયાનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ હોય તેઓનો કલેઇમ કેસ એડવોકેટ શ્રી કલ્પેશ કે. વાઘેલા તથા ભાવીન આર. હદવાણી (પટેલ) રોકાયેલ હતા. જે કલેઇમ ચાલી જતાં, નામદાર કોર્ટ દ્વારા વ્યાજ સહીત રૂ. ર૩,૦૦,૦૦૦/- નો હુકમ કરવામાં આવેલ.
ઉપરોકત કલેઇમમાં એડવોકેટ કલ્પેશ કે. વાઘેલા તથા ભાવીન આર. હદવાણી (પટેલ) દ્વારા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટો તથા ધારદાર દલીલ રજુ કરતાં, કોર્ટ દ્વારા ગુજરનારની ભવિષ્યની આવક ધ્યાને લઇ ઉપરોકત રકમ મંજુર કરવામાં આવેલ. આ ઉપરાંત કોરોના કાળમાં કોર્ટની કાર્યવાહી આશરે દોઢ વર્ષ બંધ રહેલ છતાં પણ ખુબ જ ટુંકા સમય ગાળામાં જંગી વળતર મંજુર કરાવવામાં આવેલ છે.
આ કામમાં ગુજરનારના વારસદાર તરફથી રાજકોટના વકીલ શ્રી કલ્પેશ કે. વાઘેલા, ભાવિન આર. પટેલ, અર્જુન ડી. કારીયા (ગઢવી) તથા શ્રધ્ધા અકબરી (પટેલ) રોકાયેલ હતા.