News of Thursday, 10th October 2019
આજીડેમ ચોકડી પાસે છકડો પલ્ટી ખાઇ જતા દેવાયતભાઇ ખાંભલાનું મોત
રાજકોટ તા. ૧૦ : આજીડેમ ચોકડી પાસે બે દિવસ પહેલા છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડ પાછળ મચ્છાનગર પાછળ રહેતા દેવાયતભાઇ હાજાભાઇ ખાંભલા (ઉ.૪૪) બે દિવસ પહેલા છકડો રીક્ષા લઇને જતા હતા ત્યારે આજીડેમ ચોકડી પાસે છકડો પલ્ટી ખાઇ જતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. મનહરસિંહએ કાર્યવાહી કરી હતી.
(3:50 pm IST)