રવિવારે રૈયા સાધુ સમાજ સમાધિ સ્થાન ખાતે હોમાત્મક લઘુરૂદ્ર : સત્યનારાયણ કથા
રાંદલના લોટા ઉત્સવ - શકિતપૂજન - રાસ ગરબા - મહાપ્રસાદના કાર્યક્રમો
રાજકોટ, તા. ૧૦ : આગામી તા.૧૩ના રવિવારે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૩ના રવિવારે સવારના ૭ થી ૧ હોમાત્મક લઘુરૂદ્ર, રાંદલના લોટા, શિવશકિતનો પાઠ (શકિતપૂજન) રાત્રે ૮ કલાકે, રામાપીરનો પાઠ, સત્યનારાયણની કથા સાંજે ૬ કલાકે યોજાશે. ત્યારબાદ રાસ ગરબા રાત્રે ૯ વાગ્યાથી શરૂ થશે. બપોરે ૧૨ વાગ્યાથી મહાપ્રસાદ રાખેલ છે.
આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા સમસ્ત સાધુ સમાજના આગેવાનો સર્વશ્રી અનોપગીરી ગોસ્વામી, જગદીશગીરી ગોસ્વામી, મેહુલપરી ગોસ્વામી, ભરતગીરી ગોસ્વામી, ગૌતમગીરી ગોસ્વામી, નિલેશભાઈ દાણીધારીયા, ઉજેશભાઈ દેસાણી, નીતિનભાઈ દાણીધારીયા, નંદલાલભાઈ દાણીધારીયા, રાજુભાઈ કાપડી, સુખદેવભારથી, અજયગીરી ગોસ્વામી, વિશ્વાસગીરી ગૌસ્વામી, કનુભાઈ ગોંડલીયા અને વિવેકપરી ગોસ્વામી જહેમત ઉઠાવી રહ્યા છે.
આ અંગે વધુ માહિતી માટે મો.૮૩૨૦૭ ૦૫૦૯૨, ૯૮૨૫૬ ૭૩૫૬૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.