રાજકોટ
News of Thursday, 10th October 2019

શરદ પૂનમે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ

ધ્યાન, કિર્તન, પ્રસાદના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસર : આયોજક સ્વામિ પ્રેમ મૂર્તિ (સ્વીઝલેન્ડ) સંચાલકઃ સ્વામી સત્ય પ્રકાશ, કાર્યક્રમ સંચાલકઃ પૂર્વી દીદી, વિશેષ વકતા સ્વામી દેવ રાહુલ, નામ નોંધણી શરૂ

રાજકોટ : ઓશોના સુત્ર 'ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્રી' ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબીરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, ભજન-કિર્તન-ગીત સંગીત વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી ર૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા. ૧૩ ને રવિવારના રોજ શરદ પૂનમ નિમિતે રાબેતા મુજબ સ્વીઝરલેન્ડના સ્વામી પ્રેમ મૂર્તિએ બપોરના ૩ થી રાત્રીના ૮.૩૦ દરમ્યાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિરનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરવાના છે.

કાર્યક્રમનું સંચાલન પૂર્વી દીદી કરવાના છે. શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન  પ્રયોગો, વિડીયો દર્શન, સ્વામી દેવ રાહુલનું વિશેષ  પ્રવચન, સંધ્યા સત્સંગ, પૂજન કિર્તન ઉત્સવ શિબિર બાદ પ્રસાદ તથા પૂનમના ચંદ્રની ઉર્જાથી ભરપુર દૂધ પૌવા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત શરદ પૂનમની ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા માટે નામ નોંધણી રૂબરૂ અથવા એસએમએસ દ્વારા કરાવવી અત્યંત જરૂરી છે.

સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી  ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ,

વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવા માટે :- સ્વામિ સત્ય પ્રકાશ :- મો. ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:51 pm IST)