ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ. ભગવાનજીભાઇ ચાવડાના પરિવારને શાંત્વના પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
રાજકોટ તા. ૧૦ : ભાજપ અને જનસંઘના પાયાનાં પથ્થર તથા મહાનગરપાલીકાના કટોકટી રપ-ર૬ વખતનાં ભાજપ અને સ્વ. શ્રી અરવિંદભાઇ મણીઆર સાથે નિષ્ઠા પ્રમાણીકતા અને વફાદરી સાથે અડિખમ કોર્પોરેટર તરીકે રહી ચુકલા દેવસુરભાઇ (ભગવાનજીભાઇ) ચાવડાનું દુઃખદ અવસાન થતા અંજલીબેન રૂપાણીએ તેમના નિવાસ સ્થાને થઇ ચાવડા પરિવારને શાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગરણી નીતીનભાઇ ભારદ્વાજ, વોર્ડ નં.૭નાં કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, દેવાંગભાઇ માંકડ, અજયભાઇ પરમાર, મીનાબેન તથા અનીલભાઇ પારેખ, જીતુભાઇ સલોરા, ભાવ્યેશ વોરા, રમેશ પંડયા, કિરીટ ગોહેલ, રસીકભાઇ મોરધરા, જીજ્ઞેશ ધ્રુવ, નીતીન જરીયા, અનીલ લીંબડ, દિલજીત ચૌહાણ, સંજય પારેખ, નારણ રાઠોડ સહિતના વોર્ડ નં. આગવેાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.