News of Thursday, 10th October 2019
સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ
પ્રકાશભાઇ બેચરભાઇ સખીયા, ન્યુ અમૃત ઇન્ડસ્ટ્રીઝ તથા ઓમ મેન્યુફેકચરર્સના સહયોગથી શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા શહેર જિલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૪૭ મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૭૯ દર્દી ભગવાને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ. આ નેત્રયજ્ઞમાં દર્દીઓ માટે રહેવા જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યા હતા.
(3:24 pm IST)