સર્વેશ્વર ચોક કા રાજા : સાંજે શિવ આરાધના
રાજકોટ : અહિંના સર્વેશ્વર ચોક ખાતે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગણેશોત્સવમા઼ ગઈકાલે ગણેશજીને છપ્પન ભોગ ધરાવવામાં આવેલ હતા. અન્નકોટના દર્શન રાખવામાં આવેલ.
રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, તેમજ હિતેષભાઈ બગડાઈ, દેવાંગભાઈ માંકડ, ચેતનભાઈ ધકાણ, શૈલેષભાઈ પાબારી તથા કીરીટભાઈ ગોહેલ, નીમેષ કેસરીયા, ઉન્નતીબેન ચાવડા, ચંદ્દેશ પરમાર, સુરેશભાઈ સિંધવ, ભરતભાઈ તન્ના, રાજુભાઈ મુંધવા વિગેરેએ મહાઆરતીનો લીધેલ હતો.
આજે સર્વેશ્વર ચોક કા રાજા ખાતે દેશ વિદેશમાં મશહુર એવી શિવ આરાધના ના કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં દિપકભાઈ જોષી, હેમંતભાઈ જોષી, અમીબેન ગોસાઈ, તેજસ સીસાંગીયા જેવા નામી કલાકારો પોતાની કલાનો રસ પીરસશે. આ કાર્યક્રમને જોવા માટે દરેક ભકતજનોને પધારવા સર્વેશ્વર ચોકના તમામ કાર્યકરોએ અનુરોધ કરેલ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે કેતનભાઈ સાપરીયા, અનીલ તન્ના, જતીન માનસાતા, હિતેષ મહેતા, બ્રિજેશ નંદાણી, આશીષભાઈ હિંડોચા, અલ્લાઉદ્દીન કારીયાણીયા, સમીર દોશી, ઉપેન્દ્રસિંહ ઝાલા, હિતેષ જેઠવા, જીતાભાઈ ભરવાડ, સત્યેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ બારડ, ભપકુ રાઠોડ, અમીત ચાવડા, કમલ કોઠારી, શૈલેષ પરમાર, ગોવિંદ બોળીયા સહિતના ૭૫ થી વધુ કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહયા છે.