News of Tuesday, 10th September 2019
સનસીટી પરિવાર કા રાજા
રાજકોટ : શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ સનસીટી એપાર્ટમેન્ટના પરિવાર દ્વારા ગણેશ ભગવાનની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે. સવાર-સાંજ ધાર્મિક વિધીથી ભાવપૂર્વક આરતી કરવામાં આવે છે. સત્યનારાયણની કથા, ગાયત્રી યજ્ઞ વિગેરે જેવી અનેક ધાર્મિક કાર્યક્રમોમાં તમામ સનસીટી એપાર્ટમેન્ટમાંથી જયેશભાઇ ઘીયા, નવીનભાઇ ચંદે, કિરીટભાઇ ગજેરા, અલ્કેશભાઇ મારડીયા, ભવ્યાબેન મારડીયા, રમાબેન ગજેરા, હિનાબેન ચંદે, કુ. નીધીબેન ચંદે, કુ. કાજલબેન મહેતા તથા સમગ્ર સનસીટી પરિવાર આસ્થાપૂર્વક ભારેે જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:29 pm IST)