News of Wednesday, 10th August 2022
કાલે રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી : દેવાયત ખવડનો કાર્યક્રમ સમૂહ ભોજન પ્રસાદનું આયોજન
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦ : રાજકોટમાં આવતીકાલે શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા રક્ષાબંધન પર્વની કોરોનાકાળના બે વર્ષ બાદ ઉજવણી કરવામાં આવનાર છે.
જેમાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે બપોરે ૪ થી ૭ સુપ્રસિધ્ધ લોકાસાહિત્ય કાર દેવાયત ખવડ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જમાવટ કરાશે. આ કાર્યક્રમ પૂર્ણ થશે.
રાજકોટમાં વસતા તમામ રાજગોર સમાજના પરિવારો સમૂહ ભોજન પ્રસાદ લેશે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ચેરમેન બંકિમભાઇ મહેતા પ્રમુખ સંજયભાઇ દવે, મહામંત્રી કશ્યપભાઇ દવે અને આખી ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(10:50 am IST)