સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે 'ઓમ ધ્યાન' તથા 'સૂફિ ધ્યાન' : શિવ પર પ્રવચન
રાજકોટ તા. ૧૦ : ઓશોના સૂત્ર ઉત્સવ અમાર જાતી આનંદ અમાર ગોત્રને સાર્થક કરવા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન, કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવોની ઉજવણીથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર સતત ધમધમતુ રહે છે. ત્યારે આગામી તા. ૧૨ ના શ્રાવણ માસના સોમવાર અને ઇદના તહેવાર નિમિતે સાંજે ૬.૩૦ થી ૮ ઓશોનું ઁ ધ્યાન તથા સૂફિ ધ્યાન, સંધ્યા ધ્યાનનું આયોજન કરાયુ છે. સાથે શિવ પર પ્રવચન રાખેલ છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ડી-માર્ટની પાછળની શેરી, ૪-વૈદવાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમોમાં ઓશો સન્યાસી તથા પ્રેમીઓએ પધારવા ઓશો ઇનર સર્કલ દ્વારા અનુરોધ કરાયો છે. વિશેષ માહીતી માટે સ્વામિ સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬ અને સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.