રાજકોટ
News of Friday, 10th August 2018

રૈયારોડ પરની સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષની સગીરાનું અપહરણ

રાજકોટ તા.૧૦ રૈયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી સગીરા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.મળતી વિગત મુજબ રૈયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષની સગીરા તા. ૬/૮ ના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા સગીરાની માતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ આર.જે. જાડેજાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:07 pm IST)