રાજકોટ
News of Friday, 10th August 2018

નો-રીપીટ થિયરી

વિપક્ષી નેતા બની ગયા હોય તેમને ચાન્સ નહિં : કોર્પોરેટરના પ્રતિનિધિઓ માટેની પ્રથા પણ બંધ

રાજકોટ, તા. ૧૦ :. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની વરણી માટે કોંગી નિરીક્ષકોએ આ લખાય છે ત્યારે વન-ટુ-વન સેન્સ લેવાનુ શરૂ કર્યુ છે. કોંગી સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ નો-રીપીટ થિયરી અમલમાં મુકવાનું ટોચની નેતાગીરીએ નિર્ણય લીધો હોવાનું મનાય છે એટલે કે અગાઉ વિપક્ષી નેતાનો હોદ્દો ભોગવી ચૂકેલાઓને ફરીથી વિપક્ષી નેતા બનવાનો ચાન્સ નહિ અપાય. આ ઉપરાંત નગરસેવક વતી સેન્સ માટે પ્રતિનિધિઓને પણ નો-એન્ટ્રી કરી દેવાય છે.

(3:34 pm IST)