રાજકોટ
News of Monday, 10th June 2019

મુંજકા ખાતે નિર્માણ થઇ રહેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ બંધઃ તાત્કાલીક શરૂ કરોઃ કોંગ્રેસ

રાજકોટઃ રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (રૂડા) દ્વારા મુંજકા ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજનાનું નિર્માણ કાર્ય ચાલી રહેલ છે. પરંતુ આ આવાસ યોજનાનું કામ છેલ્લા કેટલાક સમયથી બંધ રહેતા આ અંગે ર્વો નં. ૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર સહિતના આગેવાનો દ્વારા રૂડાના ચેરમેનને રજુઆત કરવામાં આવી છે. તેઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, ૧૪૦૦થી વધુ ફલેટ ધારકોએ બધાજ હપ્તા ભરી દીધેલ છે. આ લાભાર્થીઓને કયારે ફલેટ સોંપવામાં આવશે સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરી છે. આ રજૂઆતમાં પ્રભાતભાઇ ડાંગર, માણસુરભાઇ વાળા તથા પરેશ વોરા, નિતીન ભટ્ટ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્સ્થિત રહ્યા હતા.

(4:23 pm IST)