News of Monday, 10th June 2019
અંજલીબેન રૂપાણીઃ રેલનગરમાં આગ દુર્ઘટના અટકાવી
પ્રજાની રખેવાળીનો ધર્મ બજાવતાં મુખ્યમંત્રીનાં પત્ની
રાજકોટ : ગઇકાલે શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રેલનગરમાં એક કાર્યક્રમમાંથી પરત આવી રહ્યા હતા, ત્યારે સાંઇબાબા સોસાયટી શેરી નં. ૭ માં મેટલીંગ કામના અનુસંધાને ગેસની લાઇન લીકેઝ થયેલ જે ધ્યાને આવતા આ અંગે મેયર બિનાબેન આચાર્યને જણાવેલ, તેમજ તુરંત જ ફાયર બ્રીગેડ વિભાગ તથા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ વિગેરેને સ્થળ પર બોલાવી રીપેરીંગ કરાવી મોટી દુર્ઘટના થતી અટકાવેલ. આ ઘટના સ્થળે વોર્ડ નં. ૩ ના પ્રમુખ હેમભાઇ પરમાર પણ પહોંચી ગયેલ. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
(4:22 pm IST)