પડધરીથી ભીક્ષાવૃતી કરવા આવોલા બાવાજી વૃધ્ધાનું રાજકોટમાં મોત
રાજકોટ તા ૧૦ : ઢેબર રોડ પર ઇલોરા કોમ્પ્લેક્ષ પાસે પડધરીના મોવૈયાના બાવાજી વૃધ્ધાનું બેભાન હાલતમાં મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ ઢેબર રોડ પર ઇલોરા કોમ્પ્લેક્ષની બહાર ફુટપાથ પર એક અજાણ્યા વૃધ્ધા બેભાન હાલતમાં પડેલ હોવાની જાણ કોઇએ કરતા ૧૦૮ ના ઇએમટી દિનેશભાઇ ધાંધલ એ તપાસ કરતા તેનું મૃત્યું નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી, બાદ 'એ' ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ ધર્મેશભાઇ મેર એ સ્થળપર પહોંચી તપાસ કરતા વૃધ્ધા પાસેના થેલામાંથી તેના પોૈત્ર મેહુલના મોબાઇલ નંબર મળતા, તેનો સંપર્ક કરતા મેહુલે પોતાના દાદી જાનુબેન જેમલભાઇ આકોલીયા (ઉ.વ.૯૦) (રહે. પડધરી ના મોવૈયા ગામ) હોવાનું જણાવ્યું હતું. વૃધ્ધા તેના પોૈત્ર સાથે રહેતા હતા. આ અંગ ેએ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી છે.