News of Tuesday, 10th May 2022
વધુ બે પોલીસ ઇન્સ્પેકટરની બદલી : કે.એ. વાળા પ્ર.નગરમાં અને જનકાત ટ્રાફીકમાં મુકાયા
રાજકોટ,તા. ૧૦ : પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ દ્વારા વહીવટી પ્રક્રીયા સુધારવા છેલ્લા કેટલાક દિવસોથી બદલીના હુકમો થઇ રહ્યા છે. બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઇ. વાય.બી. જાડેજાની નિમણુક કરવામાં આવી હતી. તેમના સ્થાને પી.આઇ. એ.બી. જાડેજાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મુકતો હુકમ કરવામાં આવ્યો હતો. આજે વધુ બે ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. લીવ રીઝર્વના પી.આઇ. કે.એ. વાળાને પ્ર.નગરમાં નિમણુક આપવામાં આવી છે. જ્યારે પ્ર. નગરના એમ.એ જનકાતને ટ્રાફીક પી.આઇ. તરીકે બદલાવાયા છે. પી.સી.બી.નો વધારનો ચાર્જ પી.આઇ. એ.એસ. ચાવડાને સોંપવામાં આવ્યો છે.
(4:15 pm IST)