મવડી ગામ વણકરવાસમાંથીમહિલા ત્રણ સંતાનો સાથે લાપતા
ᅠરાજકોટ તા.૧૦: મવડી ગામમાં વણકરવાસ શેરી નં.૩ માં રહેતી મહિલા તેના ત્રણ સંતાનો સાથે ઘરેથી નિકળ્યા બાદ લાપતા થતા તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ મવડીગામમાં વણકરવાસ શેરી નં.૩ માં રહેતા મીનાબેન કમલેશભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) ગત તા. ૨૪/૪ ના રોજ પોતાની ૧૪ વર્ષની દીકરી પ્રિતી અને ૭ વર્ષની નંદની અને પાંચ વર્ષનો પુત્ર જયરાજ સાથે ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. ચારેયનો કોઇ પત્તો ન લાગતા તેના પરિવારજનોએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પી.આઇ. વી.વી.વાગડીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. ગુમથનાર મીનાબેને કેસરી કલરની સાડી તથા પ્રીતીએ લાલકલરનું ફ્રોક, નંદનીએ ગુલાબી કલરનું ફ્રોક અને પુત્ર જયરાજે કાળાકલરનું ટીશર્ટ તથા દુધીયા પેન્ટ પહેરેલ છે. તેના જમણા હાથમાં કાંડા પાસે લાખુ છે. જો કોઇને આ મહિલા અને ત્રણ સંતાનો જોવા મળે તો તાલુકા પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.